ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ પોર ગામમાં ગટરો ઉભરાતા રહીશાને હાલાકી,રોડનું કામ અધૂરૂ મૂકી દેવાયું

ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ
ગાંધીનગર નજીક આવેલા પોર ગામમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા વધી રહી છે ત્યારે હવે રોડનું અધૂરું કામ મૂકીને કોન્ટ્રાક્ટર ગાયબ થઈ

જતા ખાડાઓમાં પણ ગટરના પાણી રહેવાને કારણે રહીશોને અહીંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. આ અંગે ફરિયાદ છતાં હજી સુધી કોઈ જ પગલા ભરવામાં આવ્યા નથી.

મંદિર પાસે જ ગટરના ગંદા પાણી ભરાઈ રહેવાને કારણે રોગચાળાનો પણ ભયઃ ફરિયાદ છતાં નિરાકરણ નહીં

મહાનગરપાલિકામાં સમાવિષ્ટ, નવા વિસ્તારના ગામોમાં સુવિધાઓ વધવાને બદલે હાલતો સમસ્યાઓ વધી રહી છે પરંતુ કોપીરેશન તંત્રને જાણે કે કંઈ પડી ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાલ પોર ગામમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાવાની સમસ્યા વક્રી રહી છે ત્યારે સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, એક બાજુ ગામમાં ગટરો ઉભરાવાની સમસ્યા વધી રહી છે ત્યારે કોન્ટ્રાકટરે કોઈ યોગ્ય કારણ વગર રોડનું કામ અધવચ્ચે અટકાવી । દીધું છે, જેના પરિણામે ગટર

ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. ગ્રામજનોએ વારંવાર | મહાનગરપાલિકા અને કોન્ટ્રાકટરને રજૂઆત કરી હોવા છતાં, કોઈ પણ પગલાં લેવામાં આવ્યાં નથી. આ સ્થિતિને કારણે મંદિર પરિસર અને આસપાસના વિસ્તારમાં ગટરનું પાણી ફરી વળ્યું છે, જેનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ગટરના ગંદા પાણીના લાંબા સમય સુધી ભરાયેલા રહેવાથી આ વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે. આ દુર્ગંધ ગ્રામજનોના રોજિંદા જીવનને અસર કરી રહી છે, ખાસ કરીને નજીકના રહેવાસીઓ અને

મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. વધુમાં, આ ગંદા પાણીમાંથી મચ્છરો અને અન્ય જીવાણુઓ ફેલાવાની શક્યતા છે, જેનાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય પાણીજન્ય રોગોનો ખતરો વધી ગયો છે.
ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here