:: જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલ આંતકવાદી હુમલા અનુસંધાને વેરાવળ શહેરમા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ ભીડભાડ વાળી જગ્યામાં ચેકીંગ કરતી વેરાવળ સીટી પોલીસ ::
તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આંતકવાદી હુમલો થયેલ હોય અને ગીર સોમનાથ જીલ્લામાં ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતુ સોમનાથ મંદીર આવેલ હોય જેથી વેરાવળ રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશને જરૂરી ચેકીંગ રાખી તકેદારી રાખવા જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર સાહેબ નાઓ દ્વારા સુચના થઇ આવેલ હોય જે અનુસંધાને.
આજરોજ વેરાવળ સીટી પો.સ્ટે. પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા બી.ડી.ડી.એસ. સ્કોડ ગીર સોમનાથ સાથે વેરાવળ રેલ્વે સ્ટેશન ખાતે આર.પી.એફ. તથા જી.આર.પી.એફ. સાથે સયુકતમાં ચેકીંગ હાથ ધરવામાં આવેલ તેમજ વેરાવળ સીટી પોલીસ દ્રારા બસ સ્ટેશન તથા ભીડભાડ વાળી જગ્યાએ ચેકીંગ તેમજ વાહન ચેકીંગ હાથ ધરવામાં આવેલ.
જાહેર જનતા જોગ સંદેશ-
જો કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાઇ આવે તો તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવો.
તા-૨૫/૦૪/૨૦૨૫
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ