યાત્રાધામ વીરપુર ગામની આહાબા વિસ્તારની સીમમાં છેલ્લા બે – ત્રણેક મહિના થયા ત્રણ ચાર દીપડાએ દેખા દેતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે.

હાલ ખેડૂતોને રવીપાક માટે વાવેતરની સીઝન ચાલુ છે,તેવા સમય જ દીપડા ની દહેશત થતી ખેડૂતો અને ખેત મજૂરોમાં દીપડા પકડવાની માંગ ઉઠી છે.

સૌરાષ્ટ્રમાં ખેડૂતો રવીપાકની સિઝન માં ઘઉં,ચણા, ધાણા સહિતના અનેક પાકોના વાવેતર કરી રહ્યા છે અને વાવતેર કરેલા પાકોમાં ખેડૂતોને પિયત,જંતુનાશક દવાઓના છટકાવની કામગીરી કરવાની હોય છે,સાથે કામગીરી માટે મજૂર ને પણ જરૂરિયાત પડતી હોય છે પરંતુ દીપડા જોવા મળતા ખેત મજૂરો મજૂરી કામ માટે આવી રહ્યા નથી,સાથે વાડી વિસ્તારમાં કામગીરી કરતા કરતા સુર્યાસ્ત એટલે કે સાંજ પણ પડી જતી હોય છે ત્યારે છેલ્લા બે – ત્રણ મહિના થી વીરપુર ગામની આહાબા સિમ વિસ્તારમાં ત્રણ ચાર દીપડાના આટાફેરા વધતા ખેડૂતો અને ખેત મજૂરોમાં ભયની દહેશત ફેલાઈ છે,વીરપુર ગામની આહાબા સીમ વિસ્તારમાં વાડી ખેતર ઘરાવતા ખેડૂતો આહાબા સિમ વિસ્તારમાં દિપડાએ ખેડૂતોના વાડી વિસ્તાર માથી ઘણા શ્વાનોનો શિકાર કર્યા છે જેમને લઈને ઘણા ખરા ખેડૂતોના પશુઓ પણ ખેડૂતો પોતાની વાડીએ રાખતા હોય છે ત્યારે હિંસક દિપડાઓ ખેડૂતોને અને પશુઓને પણ જાનહાનિ પહોંચાડે તે પહેલાં આ હિંસક દીપડાઓને પકડવા ખેડૂતોમાં માંગ ઉઠી છે,

વિરપુરની આહાબા સિમ વિસ્તારમાં ત્રણ મહિના થયા ત્રણ થી ચાર જેટલા દીપડા ઓના આંટાફેરા હોવાથી ભય ફેલાયો છે સાથે જ ખેડૂતો રવીપાક નું વેવતર કરી રહ્યા છે,અને ચોમાસુ પાક કપાસ વિણવાની કામગીરી પણ કરી રહ્યા છે,ત્યારે દીપડાઓના આંટાફેરા થી ખેત મજૂરો નથી આવતા,કારણે કે મજૂરો પરિવાર સાથે વાડી વિસ્તારમાં રહેતા હોય છે અને મજૂરો જ્યારે ખેતરમાં કામ કરતા હોય ત્યારે તેના બાળકો અન્ય કોઈ વ્યક્તિ ઉપર દીપડો હુમલો કરશે તો પછી દીપડો માનવ ભક્ષી બની જશે,અને માનવ ઉપર હુમલા કરશે તેવું દહેશત ખેડૂતો અને ખેત મજૂરોમાં ફેલાઈ છે,સાથે જ વન વિભાગ એક દ્વારા દીપડાને પકડવા એક પાંજરું મુકવામાં આવ્યું છે,જેમાં દીપડા ઓ પાંજરે પુરાતાં નથી,ત્યારે વધુ 3 કે 4 પજરા મુકવા ખેડૂતો માગ કરી રહ્યા છે,જો દીપડાઓ નહિ પકડાય ખેત મજૂરો આવશે જેથી ખેડૂતોને ખેતી કેમ કરવી તે પ્રશ્ન છે,

બોક્સ:-
વીરપુરની સિમ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ મહિનાથી દિપડાની દહેશત છે ,વીરપુરની આહાબા સીમમાં ખેતરોમાં દીપડા ના પંજા ઓના નિશાન પણ જોવા મળી રહ્યા છે,વન વિભાગને ખેડૂતો દ્વારા જાણ કરવામાં આવી ત્યારે વન વિભાગ દ્વારા એક પાંજરું મૂક્યું અને બે દિવસ પાંજરામાં મારણ મૂક્યું પરંતુ દીપડો પકડાયો નહિ ત્યારબાદ કોઈ વન વિભાગ ના અધિકારી કે ફોરેસ્ટ આવ્યા ન હોવાના ખેડૂતો આક્ષેપ કર્યા હતા,ત્યારે શ્વાનોના શિકાર કરતા દીપડાઓ માનવ ભક્ષી બને તે પહેલાં વધુ પાંજરા મૂકી દીપડાને પકડવા આવે જેથી કરીને ભય હેઠળ ખેતી કરતા ખેડૂતો અને ખેત મજૂરો ભય મુક્ત ખેતી કરી શકે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે.

તસવીર:- ભાગ્યેશ ડોબરીયા – વીરપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here