યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના નિયમો મુજબ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ તેમના Ph.D. સંશોધકો માટે 01-08-2024ના રોજ પરિસરમાં છ-માસિક પ્રગતિ પ્રતિવેદન સમીક્ષા બેઠક (6-Monthly Ph.D. Progress Report Review Meeting)નું આયોજન કર્યું હતું. તેમાં વેદ અને જ્યોતિષ વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. બાહ્ય-વિષય નિષ્ણાતરૂપે કચ્છ યુનિવર્સિટી, કચ્છના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. કશ્યપભાઇ ત્રિવેદી, અત્રેની યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ પ્રો. વિનોદ કુમાર ઝા, વેદ વિષયના માર્ગદર્શકરૂપે યુનિવર્સિટી સંલગ્ન શ્રી શંકરાચાર્ય અભિનવ સચ્ચિદાનંદ તીર્થ સંસ્કૃત મહાવિદ્યાલય – દ્વારકાના પ્રધાનાચાર્ય ડૉ. કુલદીપ પુરોહિત, જ્યોતિષ વિષયના માર્ગદર્શકરૂપે અત્રેની યુનિવર્સિટી સંચાલિત કૉલેજના ડૉ.રમેશચંદ્ર શુક્લ અને સભ્યસચિવરૂપે અત્રેના સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકના સંયોજક સંશોધન અધિકારી ડૉ. કાર્તિક પંડ્યા હતા. સંકલનકર્તા તરીકે સંશોધન મદદનીશ શ્રીમતી વૈશાલી વાઘે કામગીરી કરી હતી. સમગ્ર બેઠકનું મંચ સંચાલન શોધાર્થિની કુ. કરિશ્મા ગામીતે કર્યું હતું.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ