ગીર સોમનાથ, તા.૧૯: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-૨ જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધતાં હિરણ-ર ડેમ ડીઝાઇન સ્ટોરેજના ૭૬% એટલે કે આર.એલ ૬૯.૯૮% મીટર, ઊંડાઈ ૭.૧૮ મીટર તથા જીવંત જથ્થો ૨૫.૯૯૫ એમ.સી.યુ.એમ. ભરાયેલ છે તેમજ ઈનફ્લો ૪૮૮૦ ક્યૂસેક છે. જેથી હિરણ-૨ જળાશયના હેઠવાસમાં આવતાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાખર ન લઇ જવા સૂચના આપવામાં આવી છે.
ડેમનું નિર્ધારીત રૂલ લેવલ ૭૦.૭૫ મીટર જાળવવા કોઇપણ સમયે દરવાજા ખોલવાની આવશ્યકતા ઉભી થશે જેથી સાવચેત રહેવાં જણાવાયું છે.
હિરણ-૨ જળાશય હેઠળના તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર,ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવે છે.
રિપોર્ટર મહેશ વાજા સોમનાથ