જાફરાબાદનાં ભાકોદર ગામમાં આવેલ રામાપીરના મંદિરે દર્શન કરી, ઉપસ્થિત કર્મઠ કાર્યકર્તાઓને ચૂંટણીમાં ભાજપને બહુમતી સાથે પ્રચંડ જનસમર્થન અપાવવા જરૂરી પ્રયાસો હાથ ધરવા પ્રોત્સાહન પૂરું પાડ્યું.

આ દરમિયાન રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા ભાજપના યુવા મોરચાના પ્રમુખ ચેતનભાઇ શીયાળ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ, તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કરશનભાઈ પરમાર, સરપંચ સોંડાભાઈ ચાવડા, પૂર્વ સરપંચ સાદુર ભાઈ બારૈયા, અનીરુધભાઈ વાળા સહિતનાં ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.