તા.૨૫ ઓક્ટોબરે લાઠી તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
અમરેલી, તા.૦૭ ઓક્ટોબર, ૨૦૨૩ (શનિવાર) ઓક્ટોબર-૨૦૨૩નો લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો અને ફરિયાદો મોડામાં મોડા તા.૧૮ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં લાઠી તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા ટપાલ મારફતે મળી જાય તે રીતે પહોંચતા કરવા. સામુહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવા. અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” અવશ્ય લખવું, તેમ લાઠી તાલુકા મામલતદારશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.