તા. 24-09-2022

ફર્ટિલાઈઝર‌ કંટ્રોલ ઓર્ડર-૧૯૮૫ અને પેસ્ટિસાઇડ્સ એક્ટ મુજબ  રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓના વેચાણ અર્થે નવીન એબીસીના લાયસન્સ મેળવવા માટે અરજી કરવી

અમરેલી તા. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (શુક્રવાર) ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ ગાંધીનગર દ્વારા રાજ્યના ખેડૂતોને સમયસર, ઉચ્ચ ગુણવત્તાવાળુ રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓ સહિત એગ્રો ઇનપુટ્સના વેચાણ તેમજ સરકારની વિવિધ યોજનાકીય કામગીરી માટે નવીન એબીસીના લાયસન્સ માટે ફર્ટિલાઈઝર‌ કંટ્રોલ ઓર્ડર-૧૯૮૫ અને પેસ્ટિસાઇડ્સ એક્ટ મુજબ જરુરી લાયકાત ધરાવતા ઉમેદવારો તેમની અરજી કરી શકશે. આ માટેનું નિયત અરજી ફોર્મ નિગમના જિલ્લા એગ્રો સર્વિસ સેન્ટર, અમરેલી ખાતેથી મેળવી શકાશે. આ ઉપરાંત નિગમની વેબસાઈટ www.gaic.gujarat.gov.in પરથી પણ આ નિયત ફોર્મ ડાઉનલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. આ અંગેની વધુ માહિતી, માર્ગદર્શન અને વિગતો માટે  મોબાઈલ નં. ૭૨૨૮૦ ૮૨૨૦૦ અથવા (૦૨૭૯૨) ૨૨૩૧૭૯ પર સંપર્ક કરવો, તેમ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ, હોટેલ અવધની નીચે, ડૉ. કે વી પરીખ રોડ, જૂના માર્કેટ યાર્ડ સામે, અમરેલી કેન્દ્ર ઇન્ચાર્જશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here